Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

આખલો અથડાતા મોટરસાયકલ ચાલક યુવકનું મોત કોલેજનું પેપર નબળુ જતા યુવતિનો આપઘાત

જામનગર તા. ૧૩ : વિજરખી ગામે રહેતા ચનાભાઈ રવજીભાઈ ફરીયા એ પંચભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૭–૧ર–ર૦૧૮ના મોટા થાવરીયા ગામે રાત્રીના સાત – આઠ વાગ્યા આસપાસ આ કામે મરણ જનાર મોહનભાઈ દેવાભાઈ વાઘેલા, ઉ.વ.ર૬, રે. વિજરખી ગામ, તા.જિ.જામનગરવાળા પોતાનું મોટરસાયકલ નં. જી.જે.૧૦–સી.એચ.–૯૯૦૯  સાથે એક આખલો (ખુટિયો) દોડી આવી મોટરસાયકલ સાથે અથડાઈ જતા આ કામે મરણ જનાર મોહનભાઈ મોટરસાયકલ પરથી પછાડી દઈ શરીરે ગંભીર ઈજા થતા સારવાર માં પ્રથમ જામનગરમાં જતા વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

 કડીયાવાડમાં રહેતા સુશીલાબેન ગુલાબચંદ અવધાએ સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧રના કડીયાવાડ શેરી નં.૧૦માં જયશ્રીબેન ગુલાબચંદ અવધા, ઉ.વ.ર૦, રે. કડીયાવાડ, પંજા શેરી નં.૧૦, જામનગરવાળાને કોલેજમાં પેપર નબળા જતા તે ટેન્શનમાં પોતે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ જતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

(3:46 pm IST)