Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મોરબીના મંગલ ભવન ચોકમાં ગટરના ગંધાતા પાણીથી વેપારીઓ મા ભારે આક્રોશ: ગટરનું પાણી ચીફ ઓફીસરની ચેમ્બરમાં રેડી દીધું

મોરબી: મંગલભુવન ચોકમાં છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાઈ રહી છે વળી આ સ્થળ નજીક જ જીલ્લા કલેકટરનો બંગલો આવેલો છે ત્યારે જીલ્લાના વડાના નિવાસસ્થાન પાસેની ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવામાં પણ પાલિકા તંત્ર નીરસતા દાખવતું હોય અને પંદર દિવસથી ગટર ઉભરાતી હોય જેથી વેપારીઓની ધીરજ રજૂઆત કરીને આજે ખૂટી જતા ટોળું પાલિકા કચેરીએ ગંદા પાણી લઈને પહોંચ્યું હતું

 ગટરના ગંદા પાણી ચીફ ઓફિસર ચેમ્બરમાં રેડીદીધા હતા અને ગટરના પાણી આવી દુર્ગંધ મારે છે તે તંત્રને સમજાવ્યું હતું તો બાદમાંપાલિકાના પ્રમુખ આવી પહોંચતા વેપારીઓએ પ્રશ્નના ઉકેલ માટે રજૂઆત કરી હતી અનેતાકીદે સફાઈની ખાતરી મળતા વેપારીઓ પરત ફર્યા હતા

 

(3:18 pm IST)