Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ધોરાજીના ધાણીકોઠાના રહેણાક મકાનમાંથી રૂ. ર૧૦૦૦ હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી

ધોરાજી, તા. ૧૩ : ધોરાજીના ધાણીકોઠા વિસ્તારમાં આવેલ જલારામ મોલની બાજુમાં રહેતા ફરીયાદી અનસુયાબેન હરેશગીરી ગોૈસ્વામીએ ધોરાજી પોલીસમાં ફરીયાદ કરેલ કે તેના મકાનમાં કોઇ અજાણ્યા શખ્સોએ કબાટના તાળાઓ તોડી તેમાં રાખેલા સોના-ચાંદીના દાગીનાઓ મળી કુલ રૂ. ર૧૦૦૦ હજારના મુદામાલની ચોરી અંગે ધોરાજી પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે અને આજુબાજુમાં આવેલ સીસીટીવી કેમેરામાં પણ ચેક કરી આરોપીઓને પકડવા આ બનાવની તપાસ પીએસઆઇ આર.એ. ઝાલા ચલાવી રહેલ છે. (૮.૬)

(11:52 am IST)