Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જામનગરમાં થયેલી પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતના મુદામાલ સાથે આરોપીને ઝડપી લેતી જામનગર એલસીબી પોલીસ

જામનગર : જામનગરમાં થયેલી પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે જામનગર એલસીબીએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો છે,  ફરીયાદી ભરતભાઇ કાંતીલાલ કારીયા રહે હરીયા સ્કૂલની પાછળ, જૈન દેરાસર પાસે, જામનગર વાળા આજથી આશરે અઢી ત્રણ મહિના પહેલા પોતાના પુત્રના ઘરે અમદાવાદ ખાતે ઘરને તાળા મારી ગયેલ ત્યારે પાછળથી કોઇ અજાણયા ચોર ઇસમએ ફરીયાદીના મકાનના તાળા તોડી મકાન માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૦,૯૧૩/- ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી ડીવી પો.સ્ટે.માં અજાણયા ચોર માણસ વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ હતી.

તેમજ ફરીયાદી ઉમેદભાઇ ભીમાભાઇ રાઠોડ રહે કેલાશપામ, ચાદવનગર જામનગર વાળા તથા તેમની બાજુમાં રહેતા સજયભાઇ ભીખુભાઇ ચાવડા પોતાના મકાનને તાળા મારી બહારગામ ગયેલ હતા. તે દરમ્યાન કોઇ અજાણયો માણસ તાળા તોડી મકાન માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૮,૮૫૦/ ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી ડીવી પો.સ્ટે.મા અજાણયા ચોર માણસ વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ હતી. જે બંને ગુના વણશોધાયેલ હતા.

જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્દન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સ.ઇ બી.એમ .દેવમુરારી તથા શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા તથા હરદીપમાં ધાધલને મળેલ ખાનગી હકિકત આધારે, જામનગર શહેરમાં ચાંદીબજાર માંી આરોપી હુશેનભાઇ ઉર્ફે હુશનોચોર અલીભાઇ જોખીયા રહે. ધરારનગર-૧, સલીમબાપુ ના મદ્રેશા પાસે, જામનગર વાળાના કબ્જામાંથી સોના ચાંદીના દાગીના કિ.રૂ. ૫૩,૨૫૦/- તથા રોકડ રૂ. ૩૨,૦૦૦મળી કુલ રૂ, ૫,૨૫૦ નો મુદામાલ મળી આવતા કબજે કરી, મજકુર ઇસમ વિરૂધ્ધ પો.સબ ઇન્સથી બી.એમ.દેવમુરારી નાઓ એ કાયદેસરની કાર્યવાહી કરી,જામનગર સીટી સી ડીવી પો.સ્ટે.ને સોપી આપેલ છે. ચોરીના સોનાના દાગીના લેનાર સોની સનતભાઇ પાલા રહે. જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આરોપીએ નીચે મુજબની ચોરી કરેલની કબુલાત કરેલ છે.

(૧) આજથી ત્રણેક મહિના પહેલા ગુરૂઘ્વારા, ગોકુલ હોસ્પીટલની પાછળ એક મકાનના તાળા તોડી મોનાની વીંટી તથા હેમેરાની ચોરી કરેલ છે.

(ર) આજથી અઢી મહિના પહેલા કરીયા સકુલની પાછળ, જૈન દેરાસર પાસે એક મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ છે.

(૩) આજથી પંદરેક દિવસ પહેલા વાલ્કેશ્વરીમાં એક કેબીનના તાળા તોડી રોકડ રૂ ૫૦૦૦/- ની ચીરી કરેલ છે. (૪) આજથી દસ બાર દિવસ પહેલા ઢીચડા રોડ ઉપર ભક્તિનગરમાં એક મકાનના તાળા તોડી સોનાના ઓમકાર તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ છે.

(૫) આજથી સાતેક દિવસ પહેલા ચાદવનગર કૈલાશધામ માં એ માનના તાળા તોડી સીના યૉર્દીના દાગીના તથા રોક રકમની ચોરી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. બી.એમ દેવમુરારી, કે.કે. ગોહીલ, આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોમ, અશ્વિનભાઇ ગંધા, ફીરોજભાઇ દલ, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિં, સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા. યોગરાજસિંહ રાણા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે

(11:22 pm IST)