Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રાજકોટ જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા'તાજુનાગઢ ઇવનગરના હત્યાના ગુનાના પાકા કેદીનું મોત

રાજકોટ તા. ૧૩: જુનાગઢના ઇવનગરમાં રહેતાં અને હત્યાના ગુનામાં પાકા કામના કેદી તરીકે રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા જેન્તીભાઇ વીરાભાઇ પરમાર (ઉ.વ.૭૬)ને ટીબીની બિમારી હોઇ ગઇકાલે બિમારીથી બેભાન થઇ જતાં જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના પીએસઆઇ સાકરીયા અને ગોૈતમભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. 

(12:09 pm IST)