Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કાલે વિરનગરથી જસદણ સુધી ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન

મોહનભાઇ કુંડારિયા, ડો. ભરત બોઘરા દ્વારા આમંત્રણ

 આટકોટ તા ૧૩  : રાજકોટનાં સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જસદણના પુર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરા દ્વારા કાલે જસદણના વિરનગર ગામેથી જસદણ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતી કાલે સવારે વિરનગર ગામેથી સવારે ૮.૩૦ વાગ્યે પ્રારંભ થશે જે ૯.૧૫ કલાકે આટકોટ પહોંચશે.

આટકોટ ખાતે કૈલાશનગરમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાની ગ્રાંન્ટમાંથી બનાવવામાં આવેલ ડો. આંબેડકર ભવનનું લોકાર્પણ કરાશે.

ત્યારબાદ જસદણના આટકોટ રોડ ઉપર આવેલ ભાજપના કાર્યાલય કમલમ ખાતે યાત્રા ૧૦ કલાકે પહોંચશે, જયાં મુખ્ય કાર્યકર્તાઓની બેઠક મળશે, જેમાં જસદણ શહેર તેમજ તાલુકાના પ્રમુખ અને મહા મંત્રોના નામોની જાહેરાત કરવામાં આવશે.

આ સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેવા જસદણનાં પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરા, તાલુકા ભાજપ અને શહેર ભાજપે એક યાદીમાં જણાવ્યું છે.

(12:02 pm IST)