Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કલ્યાણપુરના નગડિયાના ખેડૂતનો આર્થિક સંકડામણને કારણે આપઘાત

ગેસના ટીકડા ખાઈ લેતા પોરબંદર અને બાદમાં જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયેલ

દેવભૂમિ દ્રારકાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના 33 વર્ષિય એક ખેડૂતે આપઘાત કર્યો હતો. ખેડૂતે શનિવારે ગેસના ટીકડા ખાઈ લેતા પોરબંદર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ દાખલ કરાયા હતા.જો કે સારવાર દરમિયાન ખેડૂતનું મોત થયું હતુ. પરિવારજનોનો આક્ષેપ છે કે આર્થિક સંકડામણથી કંટાળીને મોતને વ્હાલુ કરવાનું પગલુ ભર્યું હતુ.

(7:56 pm IST)