Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અમરેલીના સુરગપુરમાં પરિણીતાનો આપઘાત

અમરેલી, તા. ૧૩ :. અમરેલીના સુરગપુરમાં રહેતી બીનાબેન નસુરભાઈ મડીયા ભીલ નામની પરિણીતા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

રાજુલાના મોટા સાકરીયામાં ભાઈની નજર સામે ભાઈનું શોક લાગતા મોત

જાફરાબાદના ટીંબી ગામે રહેતા ભીમજીભાઈ પુનાભાઈ ડોળાસીયા તથા તેના ભાઈ અરજણ પુના ટ્રકમાં કપાસ ભરી મોટા સાકરીયા ગામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ઉપર બેઠેલ ભીમજીભાઈને ઈલેકટ્રીક વાયર અડી જતા શોક લાગતા તેનુ મોત નિપજયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

વડિયાના નાજાપુરમાં ઝેર પી આપઘાત

વડિયાના નાજાપુરમાં રહેતી હેતલબેન ગોરધનભાઈ ગોહિલનું કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી મોત નિપજ્યાનું વડિયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

રાજુલામાં પુત્રની અપહરણની શંકાએ પિતાએ ઝેરી દવા ગટગટાવી રાજુલામાં રહેતા બચુ જીવાભાઈ સરવૈયાને પાડોશી યુવતીને લઈ જતો રહેલ હોય અને શોધવા છતા ન મળતા તેનું અપહરણની શંકાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

(1:39 pm IST)