Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ખંભાળિયામાં ચારણ (ગઢવી) સમાજનું સ્નેહમિલન

ખંભાળિયા : સોનલ માતાજીના મંદિરના પટાંગણમાં ચારણ (ગઢવી) સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સમાજનો સામાજિક વિકાસ સાથે શૈક્ષણિક ક્ષેત્રે સમાજમાં વધુ જાગૃતતા ઉભી થાય અને સમાજની દરેક વ્યકતીઓ કાર્યક્રમ દ્વારા સંગઠીત થાય તે હેતુથી આ કાર્યક્રમના આયોજનના આગેવાનો ભાઇઓ બહેનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સમાજના આગેવાનો દ્વારા સમાજમાં શિક્ષણ જરૂરી અને સમાજ શિક્ષિત બને તેના માટે અને શિક્ષણ માટે જાગૃતતા સાથે સમાજનો વિકાસ થાય તે કાર્યક્રમોમાં જણાવવામાં આવ્યુ હતુ. તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ તે તસ્વીર.

(1:35 pm IST)