Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ખારવા ગામે કૂતરાને હડકવા ગ્રામજનોને કરડી લીધું

વઢવાણ તા.૧૩ : સુરેન્દ્રનગરના ખારવા ગામે ત્રણ દિવસથી હડકવા ઉપડતા કૂતરા દ્વારા બચકા ભરતા ગામની અંદર ભયનો માહોલ બની ગયો હતો. ગ્રામજનોએ ત્રણ દિવસથી કુતરાને પકડવા માટે દોડાદોડી અને ચોકી કરી રહ્યા છે. જેમાં જ ગઇ કાલે કૂતરાને મારી નાખ્યો હતો ત્યારે બીજા બે કૂતરાને હડકવા ઉપડયો હતો. ગામના ર૪ લોકોને કૂતરા કરડતા સુરેન્દ્રનગર વઢવાણ અને ગાંધી હોસ્પિટલમાં સારવારમાં  છે. ત્યારે સુરેન્દ્રનગર જનરલ ગાંધી હોસ્પિટલમાં હડકવાની રસી જ ન હોવાનું કહીને લોકોને રાજકોટ અને અમદાવાદમાં રીફર કરી દેવામાં આવે છ.ે અને જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં જ રસી ન હોવાથી ગ્રામજનોને તહેવાર સમયે જ રાજકોટ અમદાવાદ જવુ પડી રહ્યું છે.

(1:13 pm IST)