Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ટ્રક અને કાર અથડાતા મોરબીના મેહુલ છત્રોલાનું મોતઃ ચિરાગ ભોરણીયા ગંભીર

મોરબી-હળવદ રોડ પર રામધન આશ્રમ નજીક અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બન્ને વાહનો નજરે પડે છે (તસ્વીરઃ પ્રવીણ વ્યાસ-મોરબી)

મોરબી, તા. ૧૩ :. મોરબી-હળવદ રોડ પર રાત્રીના ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર એકનું મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થઈ હતી.

મોરબીમાં રહેતા મેહુલ ધનજીભાઈ છત્રોલા અને ચિરાગ રમેશભાઈ ભોરણીયા પોતાની બ્રેઝા કાર જીજે ૩ જેએલ ૦૦૮૯ લઈને ચરાડવાથી મોરબી આવતા હોય દરમિયાન રામધન આશ્રમ નજીક પહોંચતા પુરપાટ ઝડપે આવતો ટ્રક જીજે ૦૩ એટી ૪૮૯૬ના ચાલકે બ્રીઝા કાર સાથે ભટકાડતા કારમાં સવાર બન્નેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મેહુલ ધનજીભાઈ છત્રોલા (ઉ.વ.૩૫)નું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મેહુલના ભાઈ કેતન નરશીભાઈ છત્રોલાએ ટ્રક ચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)