Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જુનાગઢ પોસ્ટ ઓફિસ રોડ જલારામ મંદિરે જલારામ જયંતીએ આરતી અને અન્નકુટ

જુનાગઢ તા.૧૩: પોસ્ટ ઓફિસ રોડ ઉપર આસ્થાના પ્રતિક સમા શ્રી જલારામ મંદિર ખાતે તા.૧૪ બુધવારના શ્રી જલારામ જયંતિ નિમિત્તે સવારે ૭-૩૦ કલાકે ર૧૯ દિવડાની આરતી થશે તેમજ સવારના ૭-૩૦ થી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધી ભવ્ય અન્નકૂટના દર્શન થશે.

ધર્મપ્રેમી ભાવિકજનોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. શ્રી જલારામ જયંતિની ભાવભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ નિજ મંદિર ખાતે ચાલી રહી છે.

(1:11 pm IST)