Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વાંકાનેરમાં ઉજવાયો ભકિતભાવ સાથે પૂ. રણછોડદાસજી બાપુનો પ્રાગટય દીન

સદગુરૂ દેવ શ્રી હરીચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં

વાંકાનેર, તા., ૧૩ વાંકાનેરમાં આવેલ સદગુરૂ દેવ શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે પ.પુ.શ્રી સદગુરૂ દેવશ્રી હરીચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં સદગુરૂ દેવનો પ્રાગટય દીન ભકિતભાવ સાથે ધામધુમથી ઉજવાયો.

પ્રાગટય દીન પ્રસંગે વાંકાનેર સદગુરૂ આનંદ આશ્રમ ખાતે સવારના ૬ વાગ્યાથી ગુરૂદેવને કેશર સ્નાન સાથે પાવન પ્રસંગનો પ્રારંભ થયો હતો.

સાથે સદગુરૂ દેવને અન્નકોટ થાળ દર્શન રાજકોટના ભોલેબાબા ગૃપ દ્વારા સાંજે શ્રી સુંદરકાંડના પાઠ તથા શ્રી હનુમાન ચાલીસા તેમજ રામધુનનો કાર્યક્રમ થયેલ. ભગવાનના ભકિતગીત સાથે બહેનો મન ભરી રાસે રમ્યા હતા. સાંજે ૭ વાગ્યે સદગુરૂ દેવશ્રી હરીચરણદાસજી મહારાજના આશીવર્ચન બાદ સાંજે ૭.૩૦ કલાકે પુ. ગુરૂદેવની મહાઆરતી બાદ મહાપ્રસાદ (ભંડારા)નો પ્રારંભ થયેલ.

જેમાં વાંકાનેર-રાજકોટ-ગોંડલ-મોરબી સહીત ગામે ગામથી પધારેલા સદગુરૂ શિષ્ય પરીવારોએ ગુરૂદેવના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.

(12:33 pm IST)