Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સોમનાથ વેરાવળને વેજઝોન જાહેર કરવાની રજૂઆત

 વેરાવળ : સોમનાથ વેરાવળ વિસ્તારને વેજઝોન કરવા માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા પ્રાસલી મુખ્યમંત્રીને રજૂઆત કરેલ હતી. સોમનાથ વેરાવળ તથા ગીર સોમનાથ વિસ્તારના હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, સોમનાથ સેવા સંઘ દ્વારા પ્રાસલી માર્કેટીંગના ઉદઘાટનમાં આવેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરેલ કે સોમનાથ વિસ્તારને તાત્કાલીક વેજઝોન જાહેર કરે અને તેનુ જાહેરનામુ બહાર પાડે હિન્દુ સંગઠન દ્વારા અનેક રજૂઆતો તથા અનેક કાર્યક્રમો કરાયેલ હોય તો સરકાર દ્વારા આનો ઝડપથી ઉકેલ લાવી વિશ્વના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ વિસ્તારને વેજઝોન જાહેર કરી હિન્દુઓને ભેટ આપે તેવી માંગણી કરેલ હતી. વેજઝોન બાબતે રજૂઆત કરી તે તસ્વીર. (તસ્વીર : દિપક કકકડ, વેરાવળ)

(11:54 am IST)