Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સ્નેહ મિલનના નામે જિલ્લા ભાજપનું ચૂંટણીને અનુલક્ષી શકિત પ્રદર્શન યોજાશે

તળાજાઃ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જિલ્લા લોકસભા ના ઇન્ચાર્જ ની જવાબદારી સોંપવામાં હર્ષદભાઈ દવેને સોંપવામાં આવતા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ ના અનુસંધાને શકિત પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યૂ છે. બુધવારે યોજાનાર સ્નેહ મિલનના કાર્યક્રમ માટે તળાજા ખાતે બેઠક યોજાઇ હતી. જિલ્લા ભાજપનું બુધવારના રોજ આધેવાડા ખાતે આવેલ શિવકુંજ આશ્રમ ખાતે સ્નેહ મિલન યોજાશે. સ્નેહ મિલન ને લઈ શકિત પ્રદર્શનનું પણ કહી શકાય કે યોજાશે. જેના માટે  તળાજા ખાતે મળેલ સ્થાનિક કાર્યકરો આગેવાનોની બેઠકમાં ભાવનગર લોકસભા બેઠક ની જવાબદારી સોપવામાં આવી છે તેવા હર્ષદભાઈ દવે એ ૨૦૧૯ ને ધ્યાને રાખી તન મન ધન થી લાગી જવા આહવાહન કરાયુ હતું. તળાજા નું સંગઠન મજબૂત હોયતેવું કહી શકાય કે માખણ મારી વધુમાં વધુ સંખ્યા સ્નેહ મિલનમાં થાય તેવી લાગણી વ્યકત કરી હતી. સાંસદ ભારતીબેન શિયાળ એ કેન્દ્ર સરકાર દ્વારા પાડવામાં આવી લોક હિતાર્થેની યોજનાની માહિતી આપી હતી. સાથે વિકાસના કામો ના ખાતમુહૂર્ત થશે નું જણાવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ પરેશ ભાઈ જાની એ કાર્યક્રમનું સંચાલન કરેલ.

(11:38 am IST)