Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કાલાવડની 'પુસ્તક પરબ' સંસ્થામાં ધર્મયાત્રીઓને શુભેચ્છાનો કાર્યક્રમ યોજાયો

કાલાવડની 'પુસ્તક પરબ'  સંસ્થા દ્વારા ધર્મયાત્રાનું પ્રસ્થાન કરતા સદસ્યોને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. મજીદભાઇ બ્લોચ પવિત્ર મક્કા-મદિનાની ધર્મયાત્રાએ જવાના હોય. સંસ્થાના કન્વિનર મુકેશભાઇ દાણીધારીયાએ તેમનું શાલ, ફુલહાર અને પુસ્તક અર્પણ કરી અભિવાદન કર્યુ હતું. જયુભા જાડેજા ઉત્તર ભારતની તીર્થ યાત્રાએ જવાના હોય અશોકભાઇ ઠાકરે તેમનું અભિવાદન કર્યુ હતુ. આ પ્રસંગે રમેશભાઇ આશર, પ્રકાશભાઇ ઉધાસ, હસુભાઇ વોરા, અભિષેકભાઇ પટવા, ભુમીતભાઇ ફળદુ, શૈલેશભાઇ ગઢવી સહિતએ શુભેચ્છા પાઠવી હતી.

(11:37 am IST)