Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

મંત્રીશ્રી અરવિંદ રૈયાણી જુનાગઢ જિલ્લાના પ્રવાસે

જૂનાગઢ,તા.૧૨ વાહનવ્યહાર રાજ્યમંત્રીશ્રી અરવિંદ રૈયાણી તા.૧૪/૧૦/૨૦૨૧ ના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.

વાહનવ્યહાર,નાગરિક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજયમંત્રીશ્રી અરવિંદ રૈયાણી  તા.૧૪ ઓકટબરના રોજ ૯:૧૫ કલાકે ભેંસાણ ખાતે તાલુકા ભાજપ કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ૯:૩૦ કલાકે છોડવડી ખાતે ભેંસાણ તાલુકાના પાંચ ગામોના ખાતમુર્હુત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ મંત્રી ૧૧ કલાકે જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે તાલુકા પંચાયત તથા નગર પાલિકાના પ્રમુખો તથા હોદ્દેદારો સાથે બેઠક કરશે.૧૨ કલાકે કલેકટર કચેરી ખાતે વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક કરશે.

૧૪.૦૦ કલાકે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ મહાનગર ભાજપ સંકલન બેઠક યોજાશે. ત્યારબાદ ૧૫ કલાકે કૃષિ યુનિવર્સીટી ખાતે જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા વિકાસલક્ષી કામોના લોકાર્પણ/ખાતમુર્હુત અને સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ ૧૬.૩૦ કલાકે વડાલ ખાતે વાસ્મો યોજનાના ભૂમિપુજન કાર્યક્રમમાં હાજરી આપશે.

(1:14 pm IST)