Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પોરબંદરઃ બાળાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારીને નાસતો ફરતો આરોપી ૩ વર્ષે ઝડપાયો

પોરબંદર, તા., ૧૩: છેલ્લા ત્રણેક વર્ષથી  સગીરબાળાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર નાસતા ફરતા આરોપીને પોલીસે અમદાવાદ ખાતેથી પકડી પાડેલ છે.

ગઇ તા.૧૧-૭-ર૦૧૮ના રોજ પોરબંદર એરપોર્ટ સામેથી ફરીયાદી કોકીલાબેન વા/ઓ રાજુભાઇ મગનભાઇ ચૌહાણ રહે. રાણાવાવ વાળાની સગીર દીકરીને આરોપી દિલીપસીંગ રામવરન કુછવાહ રહે. ધમસા ગામ તા.ગોહાદ જી.ભીંડ મધ્યપ્રદેશ વાળો અપહરણ કરીને લઇ ગયેલ અને ભોગ બનનારને જે તે વખતે મધ્યપ્રદેશમાં આરોપીના વતનમાંથી પોલીસ લઇ આવેલ અને આરોપી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. આ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ હેઠળ ગુન્હો દાખલ થયેલ હતો.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસીંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી રવી મોહન સૈની નાઓએ સુચના કરતા એસઓજી પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના સ્ટાફના માણસો આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન પીએસઆઇ એચ.સી.ગોહીલને બાતમી રાહે હકીકત મળેલ કે આ કામનો આરોપી હાલ અમદાવાદ ખાતે છે જેથી પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.આઇ.જાડેજા નાઓએ ટેકનીકલ એનાલીસીસ કરી એસ.ઓ.જી.ની એક ટીમમાં કે.બી.ગોરાણીયા તથા પોલીસ હેડ કોન્સ. રવિન્દ્ર ચાંઉ તથા લોકરક્ષક સંજયભાઇ ચૌહાણને અમદાવાદ ખાતે તપાસમાં મોકલી આરોપી દિલીપસિંગ ઉર્ફે દિલીપ રામવરન કુછવાહ (ઉ.વ.૩૦) રહે. મુળ ધસા ગામ તા.ગોહાદ, જી.ભીંડ (મધ્યપ્રદેશ) હાલ રહે. અમદાવાદ વાળાને શોધી પોરબંદર લાવી પુછપરછ કરી સી.આર.પી.સી. ક.૪૧ (૧) આઇ મુજબ અટક કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી સારૂ સોંપી આપેલ છે.

આ કામગીરી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા એએસઆઇ કિશનભાઇ ગોરાણીયા, એમ.એમ.ઓડેદરા તથા એચસી મહેબુબખાન બેલીમ, સરમણભાઇ સવદાસભાઇ, રવિન્દ્ર ચાંઉ, તથા કોન્સ્ટેબલ સમીરભાઇ જુણેજા, પૃથ્વીરાજસિંહ ગોહીલ, મોહીતભાઇ ગોરાણીયા, વિપુલભાઇ બોરીચા, લોકરક્ષક સંજયભાઇ ચૌહાણ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(12:50 pm IST)