Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

જામનગરમાં જલાનીજારમાં ૩૩૦માં વર્ષે ઇશ્વર વિવાહ સંપન્ન

જામનગરઃ જલાની જારમાં યોજાતા પરંપરાગત ઈશ્વર વિવાહમાં પરંપરાગત છંદ દ્વારા નગારા અને ઢોલ જેવા વાજિંત્રોના તાલે નાના બાળકોથી માંડીને મોટેરાઓ જોડાયા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : છોટીકાશી ગણાતા જામનગરમાં પરંપરાગત યોજાતી ૩૩૦ વર્ષોથી જૂની અને પ્રાચીન જલાની જારની ગરબીમાં નવરાત્રીના સાતમા નોરતે ભગવાન શિવ અને પાર્વતીના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી રાખવામા આવી છે.

જામનગરમાં જલાની જારના ચોકમાં ૩૩૦ વર્ષથી યોજાતી પુરૂષોની ગરબીમાં રમતા ઈશ્વર વિવાહમાં ઘૂમતા પુરૂષોએ પરંપરા છંદોથી ઈશ્વરવિવાહ યોજાયા હતા. જામનગરમાં જલાની જારના ચોકમાં ૩૩૦ વર્ષથી પુરૂષોની ગરબી યોજાય છે

સંગીતના કોઇ આધુનિક સાધનનો ઉપયોગ થતો નથી કે પ્રોફેશનલ મ્યુઝીશ્યન, સીંગર રખાતા નથી. રમનારા જ છંદો થી ગરબા ગાય છે. આ ગરબીમાં કોઇ પણ જ્ઞાતિ ભેદ વગર નાના બાળકથી લઇને વયોવૃધ્ધ સામેલ થઇ શકે છે. શર્ત માત્ર એટલી છે કે તેણે ધોતી, અબોટીયુ પહેર્યું હોવું જોઇએ અને લલાટે (કપાળમાં)ચંદન લગાડેલ હોવું જોઇએ.

જલાની જારના ચોકથી ૧૫૦ મીટર દૂર આવેલ બાજરીયાફળીમાં રહેતા ચતા બાજરીયા નામના સદગ્રહસ્થને માતા સપનામાં આવેલા અને તેની પૂણ્ય પ્રેરણાથી તેમને લત્ત્।ાવાસીઓની મદદથી ગરબીની શરૂઆત કરાવી હતી. તેવી લોકવાયકા છે. આ ગરબી માટે માતાજીની મૂર્તિ પણ બળદગાડા મારફત છેક રાજસ્થાનથી લાવવામાં આવી હતી.

ગરબીમાં પણ આ વખતે પરંપરાગત રીતે ઉભા ગરબા જ યોજાયા છે અને તેથી જ ઈશ્વરવિવાહ પ્રસંગ પણ તે રીતે જ યોજાયો હતો. ઈશ્વરવિવાહ રમવા નાના મોટા સૌ કોઈ ધોતી-અબોટિયા, પીતાંબરી જેવા વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.

દર નવરાત્રીએ સાતમા નોરતાની રાત્રે ૧૨ વાગ્યા બાદ સંત દેવિદાસ રચિત ઈશ્વર વિવાહનો પ્રસંગ યોજાય છે. નગારા-નોબતના તાલે છંદો દ્વારા પુરૂષો ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના પ્રસંગને ગાયન કરી ઈશ્વર વિવાહ તરીકે મનાવાય છે. જેઙ્ગ પરોઢીયે સંપન્ન થતો હોય છે. પરંતુ આ વર્ષે ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે એક જઙ્ગ જગયાએ ઊભા રહીને આ ઈશ્વર વિવાહની પરંપરા જાળવવામાં આવી છે.

(12:48 pm IST)