Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાવરકુંડલામાં ખોડિયાર બાળ મંડળ આયોજીત નવરાત્રીમાં નરેન્દ્રબાપુની ઉપસ્થિતિ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૩ :  સાવરકુંડલા ખાતે સર્વોદય નગર વિસ્તારમાં છેલ્લા પંચોતેર વર્ષથી ખોડીયાર બાળ મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

અહીં સંપૂર્ણ ધાર્મિકતા અને ભારતીય સંસ્કૃતિ મુજબ માતાજીની અર્ચના કરવામાં આવે છે. બાળકો અને યુવાનો દ્વારા ભારતીય વેષભૂષામાં પ્રાચીનરાસ રમવામાં આવે છે. ત્યારે મંગળવારની રાત્રીએ ગુજરાત રાજય બક્ષીપંચ નિગમનાં ચેરમેન આપાગીગાના ઓટલાવાળા પૂજય નરેન્દ્રબાપુ દર્શનાર્થે પધાર્યા હતા અને માતાજીનાં આશિર્વાદ મેળવી ખોડીયાર બાળ મંડળનાં કાર્યકર્તાઓને આશિર્વાદ પાઠવ્યા હતાં.

(12:47 pm IST)