Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ચોટીલા શ્રી ચામુંડા માતાજીની મહાઆરતી : કિરીટસિંહ રાણાની ઉપસ્થિતી

વઢવાણઃચોટીલા ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા મહા આરતી અને ગરબાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજયના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. સરકાર દ્વારા લોકો નવરાત્રી ના પર્વની ઉજવણી કરી શકે તે માટે લિમિટ સંખ્યામાં સરકારી ગાઇડલાઈબ મુજબનું પાલન કરીને ગરબાઙ્ગ રમી શકે તે માટે છૂટ આપવામાં આવી છે.ત્યારેઙ્ગ ચોટીલા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં કોરોના ગરબા ગાવા માટે આવ્યા હતા. મંત્રી કિરીટસિંહ એ આ કાર્યક્રમ માણ્યો હતો. અને માતાજીનીઙ્ગ આરતી પણ ઉતારી હતી.ઙ્ગ સાથે માતાજીને પ્રાર્થના કરી હતી. હાલ દુનિયામાં અને દેશ અને રાજયમાંથીઙ્ગ કોરોના દૂર થાય અને લોકોના ધંધા રોજગાર સારી રીતે ચાલે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ -વઢવાણ)

(10:34 am IST)