Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગોંડલ જેલચોક ખાતે આંતકવાદના પૂતળાનું દહન

 

 ગોંડલ : વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ ગોંડલ દ્વારા ગોંડલના જેલચોકમાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જે કાશ્મીર દ્યાટીમાં ષડયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચાવવામાં આવ્યો છે તેના વિરોધમાં દહન કરવામાં આવ્યું હાજર સૌ રાષ્ટ્રભકત કાર્યકર્તાઓએ 'આતંકવાદ મુર્દાબાદ' પાકિસ્તાન મુર્દાબાદ' તથા 'ભારત માતા કી જય' 'વંદે માતરમ' જેવા નારા લગાવી આતંકવાદનો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશના હિંદુઓ કાશમીરના લઘુમતી હિન્દૂ અને શીખની સાથે છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હિરેન ડાભી, પ્રતિકભાઈ રાઠોડ, રસ્મિનભાઈ અગ્રાવત , જય ખંઢેરીયા, ભાવિન જસાણી, સાગર કાચા, હિતેશભાઈ સિંગાળા, ચંદુભાઈ દુધાત, કેયુર કોટડીયા, રમેશભાઈ મેહતા તથા ગોંડલ ગામના અગ્રણીઓ અને રાષ્ટ્રભકત યુવાનો હાજર રહ્યા હતા.

(10:21 am IST)