Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

માળીયામિંયાણામાં દિકરાને માર મારતા આરોપીને સમજાવવા જતા જનતાને ૩ છરીના ઘા ઝીંકી દીધા

મોરબી, તા. ૧૩ : માળીયા(મીં)ના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મીંયાણા મહિલાના પુત્રને માર મારતા આરોપીને સમજાવવા જતાં આરોપીએ મહિલાને ત્રણ છરીના ઘા ઝીંકી દીધા હતા.

જાણવા મળતી વિગત પ્રમાણે ફરીયાદી હસીનાબેન અબ્દુલભાઇ મોવરનો પુત્ર વાળા વિસ્તારમાં આવેલ રાજાભાઇની દુકાન પાસે બેઠો હતો ત્યારે વલીમામદ કાદરભાઇ ઝેડા-મિંયાણા નામનો આરોપી ત્યાં આવી ફરિના પુત્રને કોઇપણ કારણ વગર માર મારવા લાગતા અને ફરિને જોઇ જતા અને આરોપીને સમજાવવા વચમાં પડતા અન્ય બે આરોપીઓ ઇરફાન ઓસમાણ અને અજગર હુશેનભાઇએ ફરિ.ને પકડી રાખી હતી અને આરોપી વલીમામદે મહિલાને ઉપરાછાપરી છરીના ત્રણ ઘા ઝીંકી દેતા મહિલાને સારવારમાં ખસેડાઇ હતી.

મોરબી અકસ્માતે બેને ઇજા

મૂળ ભોપાલ મધ્યપ્રદેશના અને હાલ કામઅર્થે મોરબી આવેલા પન્નાલાલ નંદરામ કુસવાહા, રણજીત જગન્નાથ કુશવાહા બન્ને મારૂતિમાં જઇ રહ્યા હતાં ત્યારે નાગડાવાસ ગામ પાસે ડમ્પર પાછળ મારૂતિ ઘુસાડી દેતા બન્નેને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા.

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા મણીબેન ચીમભાઇ બોપલીયાને વાડીએ સાપ કરડતા તેણીને સારવારમાં ખસેડાઇ હતી. (૮.૬)

(12:05 pm IST)