Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા 33માંથી 28 સિંહને સાંસણગીરના દેવળીયા પાર્ક ખસેડાયા

જૂનાગઢ :જશાધાર એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા કુલ 33 સિંહમાંથી 28 સિંહને સાસણગીરના દેવળીયા પાર્ક ખસેડવામાં આવ્યા છે. જ્યારે 4 નર સિંહને હજુ જામવાળામાં જ રાખવામાં આવ્યા છે. એક નર સિંહને અન્ય વિસ્તારમાં ખસેડાયો છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ધારીની દલખાણીયા રેન્જમાં 20 દિવસના ગાળામાં 23 જેટલા સિંહના મોત થઈ જતાં વન તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ત્યાર બાદ અહીં બાકી બચેલા 33 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના વિવિધ ટેસ્ટ રિપોર્ટ કરાવાયા હતા. આ તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા અને તેમને કોઈ વાયરસનો ચેપ લાગ્યો ન હોવાનું જણાયું હતું. 

(10:50 pm IST)