Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓના ૧૮ ગામડાઓના કુલ ૧૪૩૩ લોકોનું સ્થળાંતર કરાયું

રાજકોટ:રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ૧૧ તાલુકાઓના ૧૮ ગામડાંઓના ૧૪૩૩ લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.
   આ અંગેની વિગતો આપતાં રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના ૫૫ નાગરિકો, ગોંડલ તાલુકાના ૪૦૫  નાગરિકો, કોટડાસાંગાણીના ૨૧૫ નાગરિકો, લોધિકા તાલુકાના ૧૦૦ નાગરિકો, જામકંડોરણા તાલુકાના ૨૬૫ નાગરિકો, ઉપલેટા તાલુકાના ૪૬ નાગરિકો અને પડધરી તાલુકાના ૩૪૭ નાગરિકો મળી કુલ  ૧૮ ગામડાઓના ૧૪૩૩ નાગરિકોને રાત્રે આઠ વાગ્યા સુધીમાં વિવિધ સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે અને બચાવ રાહતની કામગીરી આરંભી દેવામાં આવી છે.

 

(9:40 pm IST)