Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર જિલ્લા ના જોડિયા મા ઉંડ નદી બે કાંઠે , નીચાણવારા વિસ્તારમા પાણી ભરાયા

( હિતેશ રાચ્છ દ્વારા )   વાંકાનેર  : જામનગર જિલ્લાના જોડિયાગામમા છેલ્લા ચોવીસ કલાકમાં સાડા પાચ ઈંચ વરસાદ થયેલ છે તેમજ ઉપર વધારે વરસાદ થતા જોડિયાની ઉંડ નદી બે કાંઠે ગયેલ છે તેમજ  તેમજ જોડિયા ઉંડ નદીમાં ફસાયેલાં લોકોને એરફોર્સ ના હેલીકૉપટર થી બચાવ સવાર ના કરેલ હતો આજે તા ૧૩ મીના બપોરે બાર વાગ્યાંથી અહીંના શ્રી રામવાડી આશ્રમ, શ્રી ગીતા વિધાલય મા ફરતે પાણી ફરી વર્યા છે જ્યાં જવાનો રસ્તો બપોરથી બંધ છે તેમજ અત્યારે હાલ આ જગ્યાએ પાણી વધવા ઉપર છે તેમજ લક્ષમીપરા રોડ ઉપર પણ પાણી સાંજે આવી ગયા છે જે જોડિયાથી પ્રદીપભાઈ નકુમની યાદીમાં જણાવાયું છે

 જોડિયા ના નીચાણ વિસ્તાર મા પાણી ભરાયા , જોડિયા ના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર, રામવાડી અને શ્રી ગીતા વિધાલય  ફરતે બધી સાઈડ પાણી ભરાયા

(8:10 pm IST)