Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર જીલ્લાનાં ૩ ગામોના પાણીમાં ફસાયેલ ૩પ લોકોને સલામત સ્થળે ખસેડવા-કલેકટરને સૂચના આપી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૩ : જામનગર જીલ્લામાં મેઘમહેર થઇ છેત્યારે નવ નિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જામનગર જીલ્લાના ૩ ગામોના પાણીમાં ફસાયેલ ૩પ જેટલા લોકોને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા સુચના આપી હતી.

કલેકટરશ્રી સાથે ટેલીફોનીક વાતચીત કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે લોકોને સલામત સ્થળે ખસેડવા અને એર લિફટ કરવાની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

(2:02 pm IST)