Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

બાબુભાઇ બોખીરીયાને રાજયના નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્યાણા તા.૧૩ : પોરબંદરના ધારાસભ્ય અને પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાને રાજયના નવા મંત્રીમંડળમાં સ્થાન અપાય તેવી સંભાવના જણાય રહી છે.

બાબુભાઇ બોખીરીયા અનુભવી ગણાય છે ૧૯૯૮ના કેશુભાઇ પટેલ મંત્રીમંડળમાં પણ તેઓ મંત્રી તરીકે કામગીરી બજાવી ચુકેલ છે. ૧૯૯પથી તેઓ ધારાસભ્ય અને બાદમાં નરેન્દ્રભાઇ મોદીના મંત્રીમંડળમાં ર૦૧રમાં પણ તેઓને સાત મહત્વના ખાતા પાણી પુરવઠા, મત્સ્યદ્યોગ, કૃષી, ગૌસવર્ધન, પશુપાલન અને સહકાર કેબીનેટ મંત્રી તરીકે અસરકારક કામગીરી બજાવેલ એક વખત તો નરેન્દ્રભાઇ મોદીએ કેબીનેટ બેઠકમાં જણાવેલ કે દરેક મંત્રીઓએ બાબુભાઇ પાસેથી બોધપાઠ લેવો જોઇએ કે બાબુભાઇની ઓફિસમાં ટેબલ ઉપર એકપણ ફાઇલ પેન્ડીંગ રહેતી નથી.બાદમાં આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં પણ કેબીનેટ મંત્રી તરીકે તેઓને છ મહત્વના ખાતા આપવામાં આવેલ. તેઓને વર્તમાન રાજયના નવા મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન અપાય તેવી સંભાવના વધી છે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની કર્મભુમિ આદિત્યાણા ગણાય છે તેઓ ૧૯૮૦થી ધંધાકીય ક્ષેત્રે આદિત્યાણાથી જોડાયેલ છે. તેઓ અગાઉ મોટાભાગનો સમય આદિત્યાણામાં વિતાવતા હતા.

(1:49 pm IST)