Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

વઢવાણના રહીશો વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી ત્રાહિમામ : ધારાસભ્યના ઘરે હલ્લાબોલ : ઉગ્ર રજૂઆત

ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી સ્થિતિ

સુરેન્દ્રનગરના વઢવાણમાં વોર્ડનં 1ના રહીશોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યું. વરસાદ બાદ પણ વોર્ડ નંબર 1ના રહીશોને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી છુટકારો ન મળતા આખરે આ તમામ રહીશોની ધીરજ ખુટી અને ધારાસભ્યના ઘરે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી.

ગટરના ગંદા પાણી તથા વરસાદી પાણીથી મુક્તિ અપાવાની માગ કરી. સ્થાનિક રહીશોનો આરોપ છે કે પાલિકાનું તંત્ર કામ નથી કરતું અને ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જો કે ધારાસભ્યએ પણ સરકારી જવાબો આપતા સ્થાનિકો એક સમયે ધારાસભ્યના ઘરે બેસી ગયા હતા. જો કે હાલ તો ધારાસભ્યએ ઘટતું કરવાની વાત કરતા મામલો થાળે પડ્યો છે.

(1:53 pm IST)