Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

રવિવારે ભાવનગરમાં સૌરાષ્ટ્ર ઝોનની આયુર્વેદિક ડોકટરોની કોન્ફરન્સ-મેડીકલ એજ્યુકેશનલ પ્રોગ્રામ

ભાવનગર, તા. ૧૩ : ભાવનગરમાં તા. ૧ને રસ્વવારે યશવંતરાય નાટયગૃહ ખાતે આયુર્વેદ રજીસ્ટ્રેશન બોર્ડ ગુજરાત રાજય દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની આયુર્વેદિક ડોકટરોની કોન્ફરન્સ તથા સીએમઇ (મેડીકલ એજ્યુકેશન પ્રોગ્રામ) રાખેલ છે જે ગુજરાતભરમાંથી આશરે ૪૦૦ ડોકટરો ભાગ લેશે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના વાઇસ ચાનસેલર ડો. શ્રી સંજીવભાઇ ઓઝા, ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.શ્રી ગીરીશભાઇ પટેલ, ડોકટર સેલ કન્વીનર ડો. વિષ્ણુભાઇ પટેલ તથા આયુર્વેદ રજીસ્ટ્રેશન બોર્ડના દરેક મેમ્બર્સ સેનેટ સીન્ડીકેટ મેમ્બર્સ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજયના નિષ્ણાંત વૈદ્યશ્રીઓના લેકચર દ્વારા ડોકટરોને જ્ઞાન પીરસવામાં આવશે.

સીએમઇ સવારે ૯ થી પ ચાલશે. સન્માન સમારંભ બપોરે ૧૧ થી ૧ રાખેલ છે. (૮.પ)

 

(11:58 am IST)