Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જસદણના નવાગામમાં પશુઓમાં રોગચાળો દેખાતા તંત્રમાં દોડધામ

જસદણ તા. ૧રઃ જસદણથી ૧૮ કિલોમીટર દુર આવેલ નવાગામમાં છેલ્લાં બે દિવસમાં પશુઓમાં રોગચાળો દેખાતા આ અંગે વાંછરડા, ભેંસ, ઘેટા-બકરા સહિત છ પશુઓના મોત નિપજયાં હોવા છતાં અન્ય પશુઓને પશુ તંત્ર દ્વારા કોઇ દવા કે રસીકરણ ન થતાં આજે સવારે કેટલાક પશુઓ ચાલી પણ ન શકવાની અવસ્થામાં ન હોવાનું નવાગામના રણછોડભાઇ પરમારે જણાવ્યું હતું.

ગામમાં ડોકટર તો આવ્યા પણ આ પશુ ડોકટરો એ કહ્યું કે અમો ગાંધીનગર આ દવા લેવા માટે જઇશું. પછી તમામ પશુઓને સારવાર મળશે. આ અંગે પશુલપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને પણ મેં ટેલિફોન દ્વારા જાણ કરી છે. (૭.ર૪)

(12:24 pm IST)