Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મોરબી : હર ઘર તિરંગા અંતર્ગત “ફર્સ્ટ ગુજરાત” ચેનલ દ્વારા રવિવારે તિરંગા યાત્રા યોજાશે.

બ્રિજેશભાઈ મેરજાના હસ્તે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાશે નાગરિકોને જોડાવવા જાહેર નિમંત્રણ.

મોરબી :આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાના આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતી ન્યુઝ ચેનલ “ફર્સ્ટ ગુજરાત” દ્વારા આઝાદીના પર્વને યાદગાર બનાવવા માટે મોરબીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
ગુજરાતના જવાબદાર માધ્યમ તરીકે ફર્સ્ટ ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા મોરબીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે તિરંગા યાત્રા તા. ૧૪ ઓગસ્ટને રવિવારના રોજ બપોરે ૧૨ કલાકે પ્રસ્થાન કરશે તિરંગા યાત્રાને મંત્રી બ્રિજેશભાઈ મેરજા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.
તિરંગા યાત્રા પી જી પટેલ કોલેજથી શરુ કરીને શનાળા રોડ, સરદાર બાગ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ તેમજ કેનાલ રોડ, રવાપર ચોકડી, રવાપર રોડ અને બાપા સીતારામ ચોક થઈને નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમા ખાતે પૂર્ણ કરવામાં આવશે જે તિરંગા યાત્રામાં નાગરિકોને જોડાવવા અપીલ કરવામાં આવી છે નાગરિકો પોતાના બાઈક અને તિરંગા સાથે આવીને તિરંગા યાત્રામાં જોડાઈ સકે છે તો જાહેર જનતાને પણ તિરંગા યાત્રામાં જોડાઈને આઝાદીના પર્વમાં સહ્ભાગી થવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

(11:24 pm IST)