Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જામનગરમાં લાખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રા નીકળી : લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલિ અર્પણ

જામનગરઃ  જામનગરમાં લાખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી. જામનગર મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સહયોગથી આયોજિત આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને શાળાના બાળકો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા. આ યાત્રા જામનગરના રણજીત નગર ખાતે આવેલા લેઉવા પટેલ સમાજ નજીક આવેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:28 pm IST)