Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જૂનાગઢમાં રજવાડા-દિલ્‍હી સુલતાન-કાશ્‍મીર રૂલરનાં સિક્કાઓનું પ્રદર્શન

ગીતાબેન પરમાર, ગિરીશભાઇ કોટેચા, રાજેશ તન્‍ના સહિતનાની ઉપસ્‍થિતીમાં ૨ દિવસીય પ્રદર્શનનો પ્રારંભ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૩ : આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત શહેરીજનોને ભારતીય ચલણ તથા અન્‍ય દેશના ચલણની માહિતી મળી રહે. તે હેતુથી મુદ્રા પ્રદર્શન તા. ૧૩  અને તા. ૧૪ સવારે ૧૦ થી સાંજના ૬ સુધી શાળમદાસગાંધી ટાઉનહોલ, કાળવા ચોક ખાતે (દિવસ ૨)નું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનો શુભારંભ મેયર ગીતાબેન એમ.પરમાર, કશિનર રાજેશ એમ.તન્‍ના, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, સ્‍થાયી સમિતિ ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઇ ભલાણી, અને અન્‍ય મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમમાં ભાવેશભાઇ  વાસવેલીયા દ્વારા રિપબ્‍લિક કોમોમોરેટીવ કોઇન, રિપબ્‍લિક ઇન્‍ડિયા, એનસિયંટ ઇન્‍ડિયા (રજવાડા) સ્‍ટેટ કોઇન, સલ્‍તનત કોઇન, દિલ્‍હી સુલતાન કોઇન, કાશ્‍મીર રૂરલ કોઇનનું ભવ્‍ય પ્રદર્શન કરવામાં આવ્‍યુ હતું. તેમજ આ કાર્યક્રમમાં પ્રવેશ અને પ્રદર્શન સંપૂર્ણ પણે નિઃશુલ્‍ક રાખવામાં આવેલ છે. આ પ્રદર્શનનો લાભ સૌ શહેરીજનોને લેવા મેયરશ્રી ગીતાબેન એમ.પરમાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:27 pm IST)