Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સાવરકુંડલા : ધારાસભ્‍ય ઇમરાન ખેડાવાળા નું સન્‍માન જગન્નાથ મંદિર ના મહંતે કર્યું

સાવરકુંડલા : અમદાવાદ ખાતે મહોરમ ના તહેવાર નિમિતે કોમી એકતા મજબૂત બનાવવા કાર્યક્રમ યોજાયો ધારાસભ્‍ય ઇમરાનભાઈ ખેડાવાળા નું જગન્નાથ મંદિર ના મહંત એ સન્‍માન કરી કોમી એકતા ની જબરી મિશાલ આપી હતી. અમદાવાદ ખાતે કોમી એકતા મજબૂત બનાવવા માટે હિન્‍દૂ અને મુસ્‍લિમ પરસ્‍પર તહેવારો માં કાર્યક્રમો કરતા હોય છે  ઇસ્‍લામ ધર્મ ની સત્‍યાય માટે શહીદી વ્‍હોર ના ઇમામ હુસૈન ની યાદ માં મહોરમ નો તહેવાર નિમિતે અમદાવાદ ની કોમી એકતા ને મજબૂત બનાવવા અને અને કોમી એકતા ની મિશાલ દેશ ભર માં આપવા માટે ધારાસભ્‍ય ઈમરાનભાઈ ખેડાવાળા સહિત મુસ્‍લિમ અગ્રણી ઓનું જગન્નાથ મંદિર મહંત અને કોમી એકતા પ્રતીક દિલીપ મહારાજ. ધારાસભ્‍ય હિમતસિંહ પટેલ પોલીસ અધિકારી ઓ એ સન્‍માન કરેલ હતું   ગુજરાત નહીં પરંતુ ભારત ભર માં અમનો અમન શાંતિ અને કોમી એકતા ની લાગણી વધુ મજબૂત બને હાજર મહાનુભાવો એ વિસ્‍તુત ખ્‍યાલ આપેલ હતો.  (તસ્‍વીર-અહેવાલ :  ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:23 pm IST)