Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જામનગરના ન્યુ આરામ કોલોની વિસ્તારમાં નેત્રયજ્ઞનો લાભ લેતા ૪૦૦થી વધુ લોકો

એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના ઉપક્રમે નેત્રનિદાન યજ્ઞ સંપન્ન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૩ : જામનગરમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજીના જન્મદિવસથી શરૃ થયેલી ૩૦ નેત્રયજ્ઞોની શ્રૃંખલાનો ૧૦ મો કેમ્પ ન્યુ આરામ કોલોની વિસ્તારમાં આયોજીત કરવામાં આવ્યો હતોે

આ ૩૦ નેત્રયજ્ઞની શ્રૃંખલાનો ૧૦મો કેમ્પ ન્યુ આરામ કોલોની વિસ્તારમાં આવેલી શિશુ વિહાર હિન્દી હાઇસ્કૂલમાં ગત રવિવાર તા. ૭-૮-૨૦૨ના રોજ યોજાયો હતો. આ કેમ્પના દીપ પ્રાગટ્યમાં મેયર  બીનાબેન કોઠારી તેમજ જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા સાથે સ્થાનીક આગેવાનો, કાર્યક્રમો, ભાજપના આ વિસ્તારના સંગઠનના હોદ્દેદારો, તેમજ લાભાર્થી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ તમામને સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઇ લાલે આવકાર્યા હતા.

આ કેમ્પમાં કુલ ૪૦૦ થી વધુ દર્દીઓની આંખની તપાસ કરી તબીબી સલાહ મુજબ જરૃરીયાત હતી તેવા દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યુ હતું. લાલ પરિવારની બંને સંસ્થાઓ દ્વારા આ શ્રૃંખલાના યોજાયેલા ૧૦ નેત્ર નિદાન કેમ્પમાં કુલ ૪૬૦૦થી વધુ દદીઓ લાભાવિત થયા છે.

(1:21 pm IST)