Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

અમરેલીના ઉદ્યોગપતિ નાસીરભાઈ ટાંકે માનવ મંદિરની મનોદિવ્‍યાંગ બહેનો પાસે રાખડી બંધાવી

 દામનગર : સાવરકુંડલાના યુવાન ઉદ્યોગપતિ નાસીરભાઈ ટાંકે માનવ મંદિરની આશ્રિત મનોદિવ્‍યાંગ  બહેનો પાસે રાખડી બંધાવી  બહેનોને મોં મીઠા કરાવ્‍યા છેલ્લા સાત વર્ષથી નાસીરભાઈ દર વર્ષે સાવરકુંડલા માનવ મંદિરે ખાતે મનોદિવ્‍યાંગ બહેનો પાસે રાખડી બંધાવવા આવે છે માનવ મંદિર રાષ્‍ટ્રવાદ અને સર્વધર્મને વરેલો આશ્રમ  છે. ૫૨ મનોરોગી બહેનોના ભાઈ બનીને નાસીરભાઈ અને તેમના મિત્રો માનવ મંદિરે આવ્‍યા. મનોરોગી બેહનો અને માનવ મંદિરના મહંત પૂજ્‍ય ભક્‍તિબાપુ એ આશીર્વાદ આપી રાજીપો વ્‍યક્‍ત કર્યો. સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર આવેલું છે માનવ મંદિર આશ્રમ આવી રક્ષા બધાંવી સર્વ એ ખૂબ ખુશી વ્‍યક્‍ત કરી હતી.(તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર

 

(11:56 am IST)