Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સોમવારે સ્‍વાતંત્ર્ય દિનઃ શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રૃંગાર

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં લોકોમાં થનગનાટ : ધ્‍વજવંદન દેશભકિતના ગીતો, સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન

રાજકોટ,તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તા. ૧૫ ઓગષ્‍ટને સોમવારે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શ્રૃંગાર કરવામાં આવશે.

જામકંડોરણા

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણાઃ ભારતના ૭૬માં સ્‍વતંત્ર્તા દિનની જામકંડોરણા તાલુકા કક્ષાની ઉજવણી ખજુરડા તાલુકા શાળા ખાતે કરવામાં આવશે. તાલુકા શાળા ખજુરડા ખાતે ૧૫મી ઓગસ્‍ટ ૨૦૨૨ને સોમવારે રોજ સવારે ૯ કલાકે ધ્‍વજવંદનનો કાર્યક્રમ મામલતદારના હસ્‍તે યોજાશે આ ઉજવણી પ્રસંગે પોલીસ પરેડ, રાષ્‍ટ્રગાન , સાંસ્‍કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : રાષ્‍ટ્રના ૭૬માં સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા કરવામાં આવનાર હોય જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૫/૮/૨૦૨૨ને સોમવાર ૯:૫ કલાકે મેરયશ્રી ગીતાબેન એમ.પરમારના વરદ હસ્‍તે ધ્‍વજવંદન કાર્યક્રમ મહાનગરપાલિકા મુખ્‍ય કભેરી ગ્રાઉન્‍ડ, જૂનાગઢ ખાતે યોજાનાર છે. જેમાં સૌ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ડોકટરો, વેપારી, એસોસિએશન, ચેમ્‍બર ઓફ કોમર્સ, સામાજિક આગેવાનો, સહકારી ક્ષેત્રો, સાધુ સંતો વગેરે તેમજ સૌ શહેરીજનોને ઉપસ્‍થિત રહેવા માટે મેયરશ્રી ગીતાબેન એમ.પરમાર અપીલ કરે છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં આગામી ૧૫ મી ઓગસ્‍ટ નિમિતે ધોરાજીના લેઉઆ પટેલ સમાજ વિભાગ -૧ જમનાવડ રોડ ખાતે ધોરાજી સ્‍પોર્ટસ ફાઉન્‍ડેશન દ્વારા ભવ્‍ય કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. ધોરાજી સ્‍પોર્ટ્‍સ ફાઉન્‍ડેશન દ્વારા ધોરાજીની જાહેર જનતાને ત્‍યાં પધારવા આમંત્રણ આપવામાં આવ્‍યુ છે. 

(11:08 am IST)