Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

વાંસાવડ કોઝવે પર થી પાણી માં તણાયેલ પ્રોઢ નું મોત

ગોંડલ તા. : ગોંડલ તાલુકાના વાંસાવડ ગામે નદી પરનાં કોઝવે પર થી સાયકલ લઇને પસાર થઇ રહેલાં કડીયા પ્રૌઢ નું તણાઇ જવાથી મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વાસાવડ પંથકમાં ભારે વરસાદ ને કારણે નદી માં પુર આવ્યાં હતાં.ગામ નાં પ્રવેશદ્વાર પાસે નદી ઉપર કોઝવે પરથી ચાર થી પાંચ ફુટ પાણી ધસમસતાં હોય સાયકલ પર કોઝવે પસાર કરવાનું સાહસ કરનાર મનસુખભાઈ વિરજીભાઇ સોલંકી ઉ 58 કોઝવે પર થી તણાયા હતાં અને નદી નાં પાણી માં લાપતા બનતાં ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાઇ હતી.દોડી આવેલાં ફાયર સ્ટાફે મનસુખભાઈ ની શોધખોળ કરતાં કોઝવે થી આગળ નદી કાંઠે આવેલ દરગાહ પાસે થી તેનો મૃતદેહ મળી આવતાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો

(6:36 pm IST)