Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ધોરાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની વધામણી કરવા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

સ્ટેશન રોડ મેઈન બજાર ત્રણ દરવાજા નદી બજાર વિસ્તારોના રોડ ઉપર પાણી પણ ફરી વળ્યા

 

ધોરાજી:ધોરાજીમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેઘરાજાએ સવારે ધીમી ધારે વરસાદનો પ્રારંભ કર્યા બાદ ફરી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા માટે રાત્રિના 10 કલાકે જોરદાર વરસાદનો પ્રારંભ થયો હતો

ધોરાજીના મુખ્ય માર્ગો ગણાતા સ્ટેશન રોડ મેઈન બજાર ત્રણ દરવાજા નદી બજાર વિસ્તારોના રોડ ઉપર પાણી પણ ફરી વળ્યા હતા

કોરોના મહામારી ના સમયમાં ધોરાજીમાં જન્માષ્ટમી શોભાયાત્રા બંધ હોવાને કારણે લોકો કોઇપણ સ્થળે ફરવા જઈ શક્યા નથી જેમકે મેઘરાજાનો પણ સવારની પહોરમાં ધીમીધારે વરસાદ અને સાંજે હળવા ઝાપટાં બાદ રાત્રીના જોરદાર વરસાદની એન્ટ્રી થતાં લોકો ઘરમાં રહી સુરક્ષિત રહ્યા હતા

(11:22 pm IST)