Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ચલાલામાં અશ્વમેઘ રજતજયંતિ શકિત કળશનું સ્વાગત

રાજકોટઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ - હરિદ્વાર દ્વારા આવનારા વર્ષ જાન્યુઆરી ર૦ર૦માં અશ્વમેઘ રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગ રૂપે ચલાલા - યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ખાતે અશ્વમેઘ રજત જયંતિ મહોત્સવ નિમિતે હરિદ્વારથી નિકળેલ રથ ચલાલા પધારેલ હતો. સંસ્થાના વડા પૂ.રતિદાદા અને ગાયત્રી પરિવારજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ રથ સાથે આવેલ થાનકીભાઇ, નવનીતભાઇ તથા દિનેશભાઇ દ્વારા બાળકો અને પરિજનોને યોજાનાર અશ્વમેઘ યજ્ઞ અને રજત જયંતિ વિશે માહિતી આપી હતી. આ કળશ રથ ગુજરાતમાં ભ્રમણ કરશે અને તમામ ગામોમાં અશ્વમેઘ રજતજયંતિ મહોત્સવના નિમંત્રણનો પ્રચાર કરશે અને ઠેર-ઠેર આ રથનું સ્વાગત અને પૂજન કરવામાં આવશે. શકિત કળશ રથનું સ્વાગત કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:39 am IST)