Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મુળીનાં નવાણીયાના જવાન ધનરાજસિંહ પરમાર શહિદ

સાંજે પાર્થિવદેહ પંચ મહાભુતમાં વિલીન થશે : નાના એવા ગામમાં ભારે શોક

વઢવાણ, તા. ૧૩ :  સુરેન્દ્રનગર જીલલના ચુડા તાલુકાના નવાણીયા ગામના વિર જવાન પશ્ચિમ બંગાળમાં શહિદ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પશ્ચિમ બંગાળમાં ફરજ દરમિયાન શહીદ થયેલ ઝાલાવાડમાં મુળી પંથકના નવાણિયા ગામના ધનરાજસિંહ દિગુભા પરમાર (ઉ.વ.ર૧) નો નશ્વરદેહ આજે વતનમાં લવાશે. વિધવા માતાનો મોટો દિકરો અને નાનાભાઇનો મોભી ધનરાજસિંહ પાર્થિક દેહના અંતિમ સંસ્કાર વતન નવાણિયામાં થશે.
ર૧ વર્ષનો ધનરાજસિંહ ભારતીય વાયુસેનામાં પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા હતા. એ દરમિયાન શહિદ થયાનાં સમાચાર તેમના પરિવારજનોને મળતા ગામમાં ગમનીની છવાઇ ગઇ હતી.
ધનરાજસિંહ નશ્વરદેહને વતનમાં લાવવા માટે ભારતીય વાયસુનાના અધિકારીઓ રવાના થઇ ગયા છે જે આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ખાસ વાહન દ્વારા નવાણિયા સાંજે પહોંચશે.
નવાણિયામાં જ ધનરાજસિંહ પરમારને અંતિમ સલામી સાથે અગ્નિસંસ્કાર સાંજે પ-૩૦ વાગ્યે કરવામાં આવેશ.
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા મુળીના પીએસઆઇ ચૌહાણ વિગેરે નવાણિયા ગામ પહોંચી ગયા હતા.

 

(11:41 am IST)