Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભોલેનાથ ગ્રુપનું આયોજનઃ જુનાગઢથી સોમનાથ સુધી ૧૭મીએ પદયાત્રાઃ ૭૮૦ ભાવિકો નોંધાયા

૨૦મીએ સોમનાથ મંદિરના પટાંગણમાં મહાપ્રસાદનું પણ આયોજન

રાજકોટ તા. ૧૩: જુનાગઢમાં બીલખા રોડ પર આવેલા ભોલેનાથ ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી વિશ્વ કલ્યાણ સુખશાંતિની પ્રાર્થના સાથે જુનાગઢથી સોમનાથ સુધીની પદયાત્રા યોજવામાં આવે છે. તે મુજબ આ વખતે તા. ૧૭ના રોજ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરથી પ્રસાદ લઇ આ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. ૧૮મીએ આ યાત્રા સોમનાથ પહોંચશે. રસ્તામાં આવતાં ગામોમાં બટુક ભોજન-પ્રસાદની વ્યવસ્થા પણ ભોલેનાથ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. ૨૦મીએ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મંદિરના પટાંગણમાં મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. હાલ પદયાત્રામાં ૭૮૦ ભાવિકોની નોંધણી થઇ ચુકી છે. તમામ આયોજન ભોલેનાથ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે એમ. પી. મોકરીયાનો મો. ૯૮૨૫૦ ૬૯૩૪૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:39 am IST)