Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મોરબીમાં આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના શનાળા રોડ પરની સોસાયટીના રહેવાસી આધેડ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે

  આ અંગે મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર વિશ્વકર્મા પાર્ક, નીલકંઠ મહાદેવ મંદિર પાછળ રહેતા વિનોદભાઈ નરોતમભાઈ વડગામા (ઊવ ૪૫) નામના સુથાર આધેડે પોતાના ઘરે બીજા માળે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

(8:47 pm IST)