Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અમરેલી અને સાવરકુંડલામાં તસ્કરો ત્રાટકયાઃ ર,૭૮,પ૦૦ની માલમતાની ચોરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૩: અમરેલી અને સાવરકુંડલામાં ર જગ્યાએ તસ્કરોએ મકાનોને નિશાન બનાવીને રૂ. ર,૭૮, પ૦૦ની માલમતાની ચોરી કરતા સનસનાટી મચી ગઇ છે.

લાઠી રોડ ઉપર યોગીનગર(ર)માં રહેતા પ્રવીણસિંહ અનિલસિંહ સીસોદીયાના રહેણાંક મકાનમાં રૂ.૯૩,પ૦૦ની ચોરી કરી નાસી ગયાની ફરીયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવની વધુ તપાસ પો.સ.ઇ. એમ.પી.પંડયા ચલાવી રહયા છે.

સાવરકુંડલાના મહુવા રોડ ઉપર પરીક્ષીત ભાઇ ઉર્ફે પ્રિન્સ નારણભાઇ શિયાળના રહેણાંક મકાનમાંથી રૂ.૧,૮પ,૦૦૦ ના મુદામાલની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સાવર કુંડલા ટાઉનમાં નોંધાવેલ છે. આ બનાવની વધુ તપાસ પો.ઇન્સ. એન.જી.ગોસ્વામી ચલાવી રહયા છે.

(1:11 pm IST)