Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વાંકાનેરમાં માટેલ શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજની ઉજવણી

વાંકાનેર,તા.૧૨: વાંકાનેર તાલુકાનું જગ વિખ્યાત સૌરાષ્ટ્રનું પ્રસિદ્ઘ યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે આજરોજ તારીખઃ૧૨/૭/ ૨૧ના સોમવારના રોજ અષાઢીબીજની ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવેલ છે વહેલી સવારે મંગળા આરતીમાં ભાવિક ભકતજનોએ દર્શનનો લાભ લીધેલ હતો તેમજ આજે માતાજીનું વિશેષ પૂજન અર્ચનવિધિ, મહા આરતી , 'ધજારોહણવિધિ વિધિ' જય જય કારનાર ઘોષથી કરવામાં આવેલ આજે માતાજીનો અનોખો મહાત્મય હોય માતાજીના નિજ મંદિરના અનોખા પુષ્પોથી સજાવટ કરવામાં આવેલ છે વિધ, વિધ જાતના ફૂલોની રંગોળી માતાજીના નિજ મંદિર માં કરવામાં આવેલ છે સહુ ભાવિક ભકતજનો આજે અષાઢી બીજના માતાજીના દર્શન કરીને અને માટેલ ધરાનું પવિત્ર જળ લઈને તેમજ મહા પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે જે યાદી આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલના મહંત શ્રી રણછોડદાસબાપૂએ જણાવેલ છે.

(10:22 am IST)