Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અષાઢી બીજ નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને કલાત્મક રથ સાથે ફુલોનો શ્રૃંગાર

વાંકાનેર,તા.૧૨:બોટાદ જિલ્લાના જગ વિખ્યાત અને સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજરોજ અષાડી બીજના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે 'દાદા' ના નિજ મંદિરમાં ગલગોટા ના ફૂલો નો અનોખા 'શણગાર દર્શન' રાખેલ છે  તેમજ આજે અષાડીબીજ હોય દાદા પાસે કલાત્મક 'રથ' રાખવામાં આવેલ છે.

આજે સવારે સાત કલાકે દાદાની 'શણગાર આરતી' પૂજય શાસ્ત્રીજીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીએ કરેલ હતી તેમજ કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તેમજ સ્વામીશ્રી ડી.કે.સ્વામી તથા સંતો હાજર રહયા હતા તેમજ આજે દાદા ના દરબારમાં જય જય કારના દ્યોષથી 'ધજારોહણવિધિ' ભકિતમયના દિવ્ય માહોલમાં કરવામાં આવેલ હતી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય ના નારાથી મંદિર પરિસર ગુંજી રહેલ હતું જે યાદી સાળગપુર મંદિરથી સ્વામીશ્રી ડી.કે.સ્વામીજીએ જણાવેલ છે.

(10:21 am IST)