Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

માંગરોળના હુશેબાદ આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો

નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જવાની સમસ્યા

જુનાગઢ માંગરોળના હુશેબાદ તેમજ આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જવાની સમસ્યા ઉભી થઇ હતી. સોમનાથ ફોરટ્રેક રોડ બનતાની સાથે જ વાડી વિસ્તારના પાણી રોકાઇ ગયા હતા. જેથી લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાની નોબત આવી છે. માંગરોળના ધારાસભ્યએ લેટરપેડ ઉપર લોકોની સમસ્યાની લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ નિવડયું હતુ.

(12:54 am IST)