Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જુનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વધુ ૪૮ કેસ પોઝીટીવ નોંધાતા લોકોમાં ફફડાટ

આબેડકરનગર,સરગવાડા , ખ્રામધોળ, સંજયનગર,લક્ષ્મીનગર,નંદનવન,જલારામ સોસાયટી,હરિઓમ નગર,સર્બિન સોસાયટી,નહેરૃપાર્ક સહિતના વિસ્તારમાં કોરોના કેસ : વિસાવદર તાલુકામાં 21 કેસ, અને વંથલીમાં 7 કેસ નોંધાયા

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે જિલ્લામાં 48 કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે, આજે જૂનાગઢ સિટીમાં .એફ એમ ટાવર પાસે ૪૫ વર્ષીય પુરૂષ,.આંબેડકર નગર વિસ્તારમાં ૩૦ વર્ષીય મહિલા,.સરગવાડા ખાતે ૪૫ વર્ષીય પુરૂષ,ખ્રામધોળ વિસ્તારમાં ૪૨ વર્ષીય મહિલા,.સંજય નગર ૨૫ વર્ષીય મહિલા,લક્ષ્મી નગર ૧૯ વર્ષીય યુવતી,લક્ષ્મી નગર ૧૦ વર્ષીય કીશોર ,નંદનવન સોસાયટી ૪૨ વર્ષીય પુરૂષ,જલારામ સોસાયટી ૭૨ વર્ષીય પુરૂષ,.હરીઓમ નગર ૩૮ વર્ષીય પુરૂષ,અલંકાર ટોકીઝ વિસ્તારમાં ૫૬ વર્ષીય મહિલા ,.સાબરીન સોસાયટી ૩૯ વર્ષીય મહિલા ,.નહેરૂ પાર્કમાં ૭૩ વર્ષીય પુરૂષ,ને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે
  આ ઉપરાંત વંથલી તાલુકા ના ગ્રામ્ય ના ૭ રિપોર્ટ પોઝીટીવ નોંધાયા છે વિસાવદર તાલુકા ના ૨૧ રિપોર્ટ કોરોના પોઝીટીવ નોંધાયા. કુલ જુનાગઢ શહેર અને જીલ્લા ના મળી ૪૮ કેસ કોરોનાના પોઝીટીવ નોંધાતા તંત્ર પણ હરકતમાં આવેલ હોય દીન પ્રતિદિન કોરોના કેસ માં વધારો થતા શહેરીજનો માં ભયનો માહોલ ફેલાયોછે 

(9:36 pm IST)