Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ભાવનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : આજે પણ 40 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ આંક વધીને ૬૬૫ થયો

ભાવનગર શહેરમાં 14 પુરુષ અને 10 મહિલા સહીત 24 કેસ : ગ્રામ્યમાં વધુ 16 કેસ નોંધાતા ભારે ફફડાટ

ભાવનગરમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે સતત ત્રીજા દિવસે પણ 40 અને તેની ઉપર કેસો નોંધાતા જિલ્લામાં કોરોના નો કુલ આંક વધીને ૬૬૫ થયો છે.

 

ભાવનગર જિલ્લામા આજરોજ ૪૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૬૬૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૧, ભાવનગરના ફરીયાદકા ગામ ખાતે ૧, તળાજાના મંગેળા ગામ ખાતે ૧, તળાજાના નવા સાંગાણા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩, પાલીતાણાના લાપરીયા ગામ ખાતે ૧, વલ્લભીપુરના મેલાણા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૨, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળાના દડવા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોરના મઢડા ગામ ખાતે ૧ તથા સિહોરના અમરગઢ ગામ ખાતે ૧ વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
             જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
            આમ જિલ્લામા નોંધાયેલા ૬૬૫ કેસ પૈકી હાલ ૪૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨૪૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(7:40 pm IST)